તામિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યની આર્થિક સ્થિતિ પર ‘શ્વેતપત્ર’ જાહેર કરવાની જાહેરાત કરી ભારતમાં તામિલનાડુનું કુલ દેવું સૌથી વધુ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (રૂ. ૯.૩૭ લાખ કરોડ), ઉત્તર પ્રદેશ (રૂ. ૮.૮૩ લાખ કરોડ) અને કર્ણાટક (રૂ. ૮.૧૪ લાખ કરોડ) નો નંબર આવે છે. ચેન્નાઈ:તામિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે જાહેરાત કરી છે કે તેઓ રાજ્યના મોટા નિર્ણયો લેતા પહેલા તામિલનાડુની આર્થિક સ્થિતિ પર એક ‘શ્વેતપત્ર’ (White Paper) બહાર પાડશે. ૧૦ મે, રવિવારના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આપેલા પોતાના પ્રથમ ભાવુક અને રાજકીય ભાષણમાં, ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) ના વડા વિજયે આરોપ લગાવ્યો હતો કે તામિલનાડુ અત્યારે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય પર રૂ. ૧૦ લાખ કરોડથી વધુનું દેવું છે. વિજયે કહ્યું, “અગાઉની સરકારે રૂ. ૧૦ લાખ કરોડથી વધુની લોન લીધી છે. તેઓએ તિજોરી ખાલી કરી દીધી છે અને અસહ્ય બોજ છોડી દીધો છે. આવી પરિસ્થિતિઓમાં મેં આ જવાબદારી સ્વીકારી છે.” તેમણે ઉમેર્યું કે વહીવટીતંત્રને અંદરથી નજીકથી તપાસ્યા પછી જ નાણાકીય સ્થિતિની વાસ્તવિકતા સમજી શકાશે. પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને આગળ વધવા માટે તેમની સરકાર રાજ્યની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર બહાર પાડશે.
Tamil Nadu Chief Minister Announces 'White Paper' on State's Financial Crisis
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.